Saturday, May 24News That Matters

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી

વડાપ્રધાન નરેન્નાદ્ર મોદીના “એક પેડ મા કે નામ” ના વિઝનથી પ્રેરિત, અમદાવાદ શહેરે પોતાનું સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમના “મન કી બાત” સંબોધનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ અને શહેરના તળાવોના કાયાકલ્પ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા 70 લાખથી વધુ વૃક્ષો વાવવા અને જળાશયોને પુનઃસ્થાપિત કરવા બદલ શહેરની પ્રશંસા કરી હતી. આ પ્રગતિના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ મિલિયન વૃક્ષો વાવવાની પહેલ દ્વારા શહેરના ગ્રીન કવરમાં વધારો કર્યો છે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે.

‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉના વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેની સફળતાની નોંધ લઇને વડાપ્રધનશ્રીએ કોર્પોરેશનની કામગીરીને બીરદાવી છે.

અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રી અભિયાન દર વર્ષે કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ જેટલા છોડ રોપવાનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવે છે. જે અઁતર્ગત આ વર્ષે ટાર્ગેટ પુર્ણ કર્યા હતા. જેમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૭ ઝોન અને ૪૮ વોર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમારી પાસે કુલ ૧૪૭ જેટલા મોટા પ્લોટ છે, જેમાં વૃક્ષારોપણનું અભિયાન ચાલવવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની અનેક ખાનગી સોસાયટીમાં વૃક્ષારોપણ થઇ શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ રથનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઇન દરમિયાન શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ સેવા એપ મારફતે પણ વૃક્ષારોપણની માહિતી મોકલે છે, ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા તેઓની નક્કી કરેલી જગ્યાઓ પર રોપા આપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોન દીઠ એક-એક પ્લોટ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેર વિસ્તારના કોઇપણ નાગરિક વૃક્ષારોપણ કરવા ઇચ્છુક હોય છે પણ તેમની પાસે જગ્યાની સગવડ ન હોય એવા લોકો અહીં આવીને વૃક્ષારોપણ કરી શકે, તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં કરવામાં આવેલું વૃક્ષારોપણ
અમદાવાદ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૬૬,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં 30 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *