
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમી 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઇનલ મેચને લઇને મેટ્રો રેલ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથેજ બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવશે. ખીરઆટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો જ્યારે એએમટીએસ દ્વારા કુલ 119 બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવશે.
16 રુટો પર 119 એએમટીએસ બસો દોડાવાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હાલના 11 રૂટની 69 બસો સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી તેમજ નાઈટના 5 રુટની 50 બસો રાત્રે 8.30 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ 16 પર 119 બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ત્રાગડ ગામથી ઇન્દિરાનગર વિ.(પાણીની ટાંકી) 10 ખસ, મણીનગરથી ચાંદખેડા(સારથી બંગ્લોઝ) 10, લાલ દરવાજાથી ચાંદખેડા 5 બસ, લાલ દરવાજાથી રાજીવનગર(ચાંદખેડા) 2, મનમોડન પાર્કથી અંબા ટાઉનશીપ સેક્ટર નં.5(ત્રિ મંદિર) 1 કાલુપુરથી અંબા ટાઉનશીપ સેક્ટર નં.5 (ત્રિ મંદિર) 2, અમરાઇવાડીથી ચાંદખેડા 5, સારંગપુરથી ચાંદખેડા 4, ત્રાગડ ગામથી ભક્તિ સર્કલ 6, વાસણાથી ચાંદખેડા ગામ 24 મળી કુલ 69 બસોનું સંચાલન એએંટીએસ દ્વારા કરવામાં આવ્યું છે.
બીઆરટીએસની 91 બસો દોડાવવામાં આવશે
19 નવેમ્બર રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપની ફાઇનલ મેચ રમાનારી છે. જેને લઈને બીઆરટીએસ દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન બીઆરટીએસ સ્ટેશનેથી ખસ સંચાલન શરૂ રહેશે. અંબા ટાઉનશીપ/ઝુંડાલ સર્કલથી એલડી એન્જી. કોલેજ(વાયા વિસત, આરટીઓ, શિવરજની, નહેરુનગર) વચ્ચે સવારે 6થી રાત્રે 1 વાગ્યા સુધી 24 બસ અને ઝુંડાલ સર્કલથી નારોલ(આરટીઓ, જૂના વાડજ, કાલુપુર, ગીતામંદિર) વચ્ચે 21 બસો મળી કુલ 45 ખસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે