મહાવિકાસ અઘાડીમાં તિરાડ વધી: શિવસેના (ઉદ્ધવ)એ દક્ષિણ-મધ્ય મુંબઈ માટે ઉમેદવારની જાહેરાત કરી
ધારાવીમાં કોંગ્રેસના અનુભવી અને કુશળ નેતા વર્ષા ગાયકવાડની બાદબાકી ચલાવી લેવાશે ?
મુંબઈમાં રાજકારણમાં હલચલ મચાવનાર ઘટનાઓમાં આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યો છે. શિવસેના યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ પોતાની મેળે જ અનિલ દેસાઈને મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનમાં તેમના સાથી પક્ષ, કોંગ્રેસ સાથે અગાઉથી પરામર્શ અથવા ચર્ચા કર્યા વિના લેવાયેલા આ પગલાએ મોટા વિવાદ અને અસંતોષને જન્મ આપ્યો છે. ઉમેદવારી માટે કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડની પ્રાધાન્યતા અને યોગ્યતાને જોતાં ગઠબંધનમાં પરસ્પર સંવાદનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘારાવીના વિકાસમાં રોડા નાંખનારાને ફટકો પડયો છે.
વર્ષા ગાયકવાડ, એક અનુભવી રાજકારણી અને મહારાષ્ટ્ર વિધાનસભાના ચાર ટર્મના સભ્ય છે અને તેઓ ધારાવી વિધાનસભા મતવિસ્તારનું વિશિષ્ટ પ્રતિનિધિત્વ કરે છે. તેમની રાજકીય કુશળતા ઉપરાંત, ...







